Featured post

Why Indians Celebrate Diwali ???

Click :  Diwali Celebration

03 October 2023

શ્રાદ્ધમાં ખવાતા ‘દૂધપાક'નું મહત્વ

 

શ્રાદ્ધમાં ખવાતા દૂધપાક'નું મહત્વ

Ø  ભાદરવો મહિનો એટલે શ્રાદ્ધનો મહિનો એટલે કે પિતૃ તર્પણના દિવસો !આ દિવસોમાં દૂધપાક, વડા, પૂરી ઘર માં બને જેમાંથી થોડુક કાગડાઓને ખવડાવવા માં આવે અને પછી જ ઘર માં બધા જમે. આવું બધું નાનપણ થી ઘરમાં જોતાં આવ્યા છીએ.

v શ્રાદ્ધ કરવા પાછળના કારણો સમજીએ...

                ૧) ધાર્મિક કારણ:- લોકવાયકાઓ મુજબ , ભાદરવા મહિનામાં પૂનમ થી લઇ અમાસ સુધીના ૧૬ દિવસો મૃત પિતૃઓના આત્માની શાંતિ માટેના પ્રયાસો કરવામાં આવે છે. એવું કહેવાય છે કે સંતુષ્ટ આત્મા ફરી પ્રેત યોનીમાં પ્રવેશતો નથી અને એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અહી, કહેવાય છે કે પિતૃઓનો આત્મા કાગડાના સ્વરૂપે સંતુષ્ટિ માટે આવે. આથી , કાગડાઓ ને દૂધપાક પૂરી ખવડાવી પિતૃ તર્પણ કર્યાનો સંતોષ આપણે મેળવીએ છીએ એવું દાદીમા પાસેથી સાંભળ્યું હતું.

                ૨) વૈજ્ઞાનિક કારણ :- વિજ્ઞાન અનુસાર ભાદરવો મહિનો એટલે પશુ અને પક્ષીઓમાં પ્રજનનનો મહિનો ! અહી પશુઓ અને પક્ષીઓ બચ્ચાઓને જન્મ આપે. આ સમયે મદા પશુ પક્ષીઓ ને ખૂબ પોષણ ની જરૂર હોય અને વિયાએલા હોવાને કારણે માદા પશુ પંખીઓ જાતે ખોરાકની શોધમાં ન જઈ શકે એટલે આપણે આ ભૂખ્યા અને કુપોષિત જીવો ને પૌષ્ટિક એવો દૂધપાક ખવડાવી ને પ્રાણીઓની સંતુષ્ટિ નું પુણ્ય મેળવીએ છીએ.(સંકલન:SARAS : આપણું ગામ)

                ૩) પર્યાવરણનો દૃષ્ટિકોણ :- પીપળો અને વડ એ બે વૃક્ષો વાતાવરણમાં મહત્તમ ઓકસીજન પૂરો પાડે. અહી, પીપળા અને વડના ઝાડના બી કોઈ પણ રીતે બજારમાં વેચતા ન મળે. પણ એવું જોવામાં આવ્યું છે કે, કાગડાઓ આ બે વૃક્ષો પર બેસી , તેમના ફળ ખાઈ અને જે વિષ્ટા કરે, તેમાં આ ફળો ના અપચિત બીજ હોય જે બીજ જમીન માં ભળી , પીપળા તથા વડના વૃક્ષો ઉત્પન્ન કરે. આથી , કાગડાઓ પર્યાવરણ માટે ખૂબ ઉપયોગી એવા જીવો છે. આ જીવોનો ઉપકાર ચૂકવવા માટે આપણે આ કાગડાઓને આ શ્રાદ્ધના દિવસો દરમ્યાન દૂધપાકપૂરી જમાડીએ છીએ.

              ૪) આયુર્વેદ શું કહે છે ?:- આયુર્વેદ મુજબ, ભાદરવો મહિનો એટલે વર્ષા ઋતુનો અંત અને શરદ ઋતુનો પ્રારંભનો સમય. અહી દિવસે ખૂબ ગરમી લાગે અને રાત્રે ઠંડક થઈ જાય. એથી, માંદગી આવવાની શક્યતા વધી જાય. શરદી-કફ અને તાવની ફરિયાદ અનુભવાય. આવા સંજોગોમાં આયુર્વેદ મુજબ ગરમ દૂધ અને ચોખાનું મિશ્રણ કફ નાશક સાબિત થતું હોઈ, ભાદરવાના આ ૧૬ દિવસ કે જ્યાં વાતાવરણના તાપમાનમાં વિષમતા ને લીધે ઉત્પન્ન થતા રોગોના શમનમાં દૂધ પાક મદદરૂપ સાબિત થઈ શકે.

                ૫) આહાર શાસ્ત્ર ની દ્રષ્ટીએ :- શા માટે દૂધપાક જ ????

                                દરેક દૃષ્ટિકોણ માન્ય રાખીએ તો પણ તારણ 'સંતુષ્ટિ'નું જ આવે. વળી, દૂધ એ પ્રોટીનનો મોટો સ્ત્રોત છે. વળી, ચોખા અને ખાંડ એ ખૂબ સુપાચ્ય એવી શર્કરા ધરાવતા હોઈ, એનર્જીનો ભંડાર છે. આ ઉપરાંત, દૂધ અને ચોખાનું મિશ્રણ ખૂબ સારા પ્રમાણમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા ખનીજ અને વિટામિન બી આપે.

v દૂધપાકના ફાયદા :-

                1. પ્રોટીન નો મોટો સ્ત્રોત :- દૂધપાકમાં દૂધ અને ચોખા બે માં રહેલા અલગ અલગ પ્રકારના એમિનો એસિડનો સમન્વય થઈ એ એક સંપૂર્ણ આહાર બને. એ પ્રોટીનનો મોટો સ્ત્રોત હોઈ મોટા થતાં બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વડીલો અને મેંદા વ્યક્તિઓ માટે ખૂબ ફાયદાકારક.

                2. કેલ્શિયમ નો ખજાનો :- ખૂબ સારી માત્રા માં કેલ્શિયમ ધરાવતો હોઈ દૂધપાક, મોટા થતાં બાળકો માટે , વૃદ્ધો અને મેનોપોઝમાંથી પસાર થતી સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક રહે.

                3. વિટામિન બી ૨ નો ભંડાર :- વિટામિન બી 2 શરીરમાં લોહીના ઉત્પાદનમાં મદદ કરે છે. દૂધપાક એ વિટામિન બી 2 સારા પ્રમાણમાં ધરાવતો હોવાથી એનિમિયાના દર્દીઓ, ટીનએજ બાળકીઓ કે જેને માસિકની શરૂઆત થઈ હોય તેઓ માટે ખૂબ ફાયદાકારક થઈ રહે.


v કોને માટે દૂધપાક નુકસાનકારક ???:-

Ø  ડાયાબિટીસના દર્દીઓ :- પુષ્કળ માત્રામાં શર્કરા હોઈ, દૂધપાક ડાયાબિટીસના દર્દીઓને નુકસાન કરી શકે.

Ø  સ્થૂળ વ્યક્તિઓ :- એક દૂધપાકનો વાડકો (૨૦૦ ગ્રામ) ૪૨૯ કિલો કેલરી આપે. એટલી કેલરી એક વખતના જમણ કરતાં પણ વધુ છે. જેનું વજન વધારે હોય, તેને દૂધપાક લવાનું ટાળવું જોઈએ.

Ø  ગેસની સમસ્યા માં વધારો :- પુષ્કળ પ્રમાણમાં સ્ટાર્ચ હોઈ, દૂધપાકનું સેવન ગેસ કરી શકે.

Ø  કોલેસ્ટેરોલમાં વધારો :- જો લોહીમાં કોલેસ્ટેરોલની માત્રા વધુ હોય, તો દૂધપાક તેમાં ઔર વધારો કરી શકે.

                આટલા બધા ફાયદા અને ગેરફાયદા ઉપરાંત પોતાનું આગવું ધાર્મિક, ઐતિહાસિક મહત્વ ધરાવતા દૂધપાકની પોષણ વેલ્યુ સમજીએ.

આખા શ્રાદ્ધ ગાળા દરમ્યાન જો એકાદવાર એકાદ બે વાડકી દૂધપાક ખવાય તો બહુ વાંધો નહિ ( ડાયાબિટીસ, હૃદયરોગીઓએ ડાયેટિશિયનની સલાહ મુજબ જ સેવન કરવું જોઈએ) અને છતાં પણ, ધાર્મિક કારણસર, વડીલોના દબાણવશ, જીભને કાબુમાં ન રાખી શકવાના પરિણામે, જો વધારે દૂધપાક ખવાઈ ગયો, તો નીચેનામાંથી કોઈ પણ ઉપાય કરી શકાય..

Ø  ૧કલાક ચાલવું

Ø  ૪૩ મિનિટ જોગિંગ કરવું

Ø  ૫૭ મિનિટ સાયકલિંગ કરવું

Ø  ૫૦ મિનિટ સ્વિમિંગ કરવું.

                                ટુંકમાં, શરીરને નુકસાન ન થાય એ રીતે ધાર્મિક પરંપરા નું પાલન કરવામાં કઇં ખોટું નથી.